દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના ઘરે મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે લગભગ બે કલાક સુધી બેઠક કરતાં કેન્દ્રીય મંત્રીમંડળ અને ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફારોની અટકળો વહેતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ એપ્રિલની તેમની જમ્મુની યાત્રા પણ મોકૂફ રાખતાં ૧૯ એપ્રિલ પહેલાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના નામની જાહેરાત થઈ જશે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો કરાશે એવી અટકળો ચાલી રહી છે. ભાજપે તાજેતરમાં તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે ફરી જોડાણ કર્યું છે. તમિલનાડુમાં જોડાણની સ્થિતિ મજબૂત કરવા માટે એક મંત્રીનો સમાવેશ કરાશે.

