Bhavnagar news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે.આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ વધતી જઈ રહી છે. રાજ્યનો અકસ્માતનું હબ ગણાતા ભાવનગરમાં રવિવારે ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકનું મોત જ્યારે ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરના જૂના રતનપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

