દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના પુત્રોના જામીન મંજૂર થયા છે. દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મનરેગા કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બંનેને 50 હજારના જામીન પર મુકત કર્યા છે. જણાવી દઈએ કે, દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પોલીસે બંને મંત્રીપુત્રોની ધરપકડ કરી હતી.

