છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દરમિયાન સવારે 11 વાગ્યા સુધીમાં સુરક્ષા દળોએ 26 નક્સલીઓને ઠાર માર્યા છે. આ મોટા ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

