પાકિસ્તાનનું વધુ એક શરમજનક કૃત્ય સામે આવ્યું છે. શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરનાર પાઇલટે મુસાફરોના જીવ બચાવવા માટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. પરંતુ લાહોર એર ટ્રાફિક કંટ્રોલે એ વાત ફગાવી દીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે જ્યારે અચાનક તોફાન અને કરા પડતા ઇન્ડિગોના પાઇલટે ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જેને લાહોર એર ટ્રાફિક કંટ્રોલે નકારી કાઢી હતી.

