Home / India : NIA seeks public help in Pahalgam attack, releases number to share information

પહેલગામ હુમલાને લઈ NIAએ જનતા પાસે માંગી મદદ, માહિતી શેર કરવા જાહેર કર્યો નંબર

પહેલગામ હુમલાને લઈ NIAએ જનતા પાસે માંગી મદદ, માહિતી શેર કરવા જાહેર કર્યો નંબર

નેશનલ ઈન્વેસ્ટેગેશન એજન્સી (NIA) એ જનતાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધિત કોઈપણ માહિતી તસવીરો અથવા વીડિયો શેર કરવા અપીલ કરી છે. NIA એ તેના માટે એક ફોન નંબર પણ જારી કર્યો છે, જેના પર સંપર્ક કરી માહિતી શેર કરવા અપીલ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

NIAની અપીલ 

NIA એ જનતાને અપીલ કરી છે કે, જો તમારી પાસે પહેલગામ હુમલા સંબંધિત કોઈપણ માહિતી, ફોટો કે વીડિયો હોય તો તેઓ તાત્કાલિક એજન્સીનો સંપર્ક કરે. NIA એ તેના સોશિયલ મીડિયા અને વેબસાઇટ દ્વારા લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, તમે આ મોબાઇલ નંબર - 9654958816 અને લેન્ડલાઇન 011-24368800 પર સંપર્ક કરી શકો છો.

NIA કરી રહી છે પહેલગામની તપાસ 

નોંધનીય છે કે, NIA પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે.

Related News

Icon