અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજનના મકાનમાં રહેતા જીતુભાઈ નામના બીમાર વ્યકિતનું મોત થયુ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. સાડા ત્રણ ફુટ ભરાયેલા વરસાદના પાણીમાં એમ્બ્યુલન્સ જઈ ના શકતા આ વ્યકિતને સાયકલ રેકડીની મદદથી બહાર કાઢી સારવાર માટે મોકલાયા હતા.કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

