જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં 20થી વધુ પ્રવાસીઓનું મોત થયાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા છે.

