ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આપની શાનદાર જીત બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી છે. આ બેઠકોમાંથી એક ગુજરાતની વિસાવદરની અને બીજી પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક છે. આ જીતથી ઉત્સાહિત આપ સંયોજક કેજરીવાલે કહ્યું કે 2027માં તોફાન આવવાનું છે.

