ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન ન બનવા અંગે મૌન તોડ્યું છે. બુમરાહે કહ્યું કે, 'મેં વર્કલોડના કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર કમાન સંભાળવાની ઓફર ઠુકરાવી દીધી હતી. મારા ઇનકાર બાદ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સ્ટાર બેટર શુભમન ગિલને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો.'

