એર ઇન્ડિયાની વધુ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 143 જે 17 જૂને દિલ્હીથી પેરિસ માટે રવાના થવાની હતી તે હવે રદ કરવામાં આવી છે. 18 જૂન 2025એ પેરિસથી દિલ્હી આવનારી ફ્લાઇટ AI 142ને પણ રદ કરવામાં આવી છે. મુસાફરોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.એરલાઈને અસુવિધા બદલ માફી માંગી છે.

