VIDEO: અમદાવાદ શહેરમાં ગત મહિને 12મી જૂને 1.38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા તેમાં રહેલા પ્રવાસીઓ, ક્રૂ સભ્યો સહિત જે સ્થળે તૂટયું ત્યાં પણ ખાનાખરાબી સર્જી હતી. આ વિમાન હોનારતને લઈ એક પર્યાવરણ પ્રેમીએ એવો દાવો કર્યો છે કે, ફલાઈટમાં કોઈ ખામી નહોતી. ખામીને લીધે પ્લેન ક્રેશ નહોતું થયું પરંતુ બ્રહ્માંડનો સમગ્ર દુનિયાને મેસેજ છે. આ દુર્ઘટના થકી બ્રહ્માંડનો સમગ્ર વિશ્વને મેસેજ કે પર્યાવરણને બચાવો.

