બર્મિંઘમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ભારતે પ્રથમ ઈનિંગના આધારે 180 રનની લીડ મેળવી હતી અને ત્રીજા દિવસના અંત સુધીમાં તેને 244 રન પર પહોંચાડી દીધી હતી. બીજી ઈનિંગમાં દિવસના અંત સુધી ભારતનો સ્કોર 1 વિકેટે 64 રન હતો. કેએલ રાહુલ 28 રન અને કરુણ નાયર 7 રન પર અણનમ પાછા ફર્યા હતા. ભારતે યશસ્વી જયસ્વાલના રૂપમાં પોતાની એકમાત્ર વિકેટ ગુમાવી દીધી હતી અને આ વિકેટ અંગે પણ ઘણો વિવાદ થયો હતો.

