Ahmedabad news: અમદાવાદ શહેરમાં મનપાનું વધુ એક શૌચાલય તોડી પાડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ નારણપુરામાં પણ આજ પ્રકારે શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું અને હવે શાહપુર વિસ્તારમાં પણ આજ પ્રકારની ઘટના ઘટી છે. જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે બંને શૌચાલય તોડી પાડવામાં ભાજપના આગેવાનની સંડોવણી હોવાની ચર્ચા છે.

