વર્ષ 2010 બાદ સમગ્ર દેશમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની ભારે ચર્ચા હતી, આ મુદ્દે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને ભાજપ દ્વારા મોટાપાયે આંદોલનો કરાયા હતા.જોકે અંતે ખોદ્યો પહાડ અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. કેમ કે આ મામલે મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એજન્સી EDએ દિલ્હીની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કેસ બંધ કરવા કહ્યું હતું. કોર્ટે તેને સ્વીકારી લીધો છે અને કેસ બંધ કરી દીધો છે. આ એ જ કહેવાતું કૌભાંડ હતું જેને પગલે દિલ્હીમાં શિલા દિક્ષિતની કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવવી પડી હતી. જોકે, 13 વર્ષે કોઇ કૌભાંડ થયું જ ન હોવાનું સામે આવ્યું છે.

