Home / Entertainment : Amaal Malik made a shocking claim about Kartik Aryan

'સુશાંતની જેમ કાર્તિક આર્યનને પણ નિશાન...', સિંગર અમાલ મલિકે કર્યો ચોંકાવનારો દાવો

'સુશાંતની જેમ કાર્તિક આર્યનને પણ નિશાન...', સિંગર અમાલ મલિકે કર્યો ચોંકાવનારો દાવો

બોલિવૂડ સિંગર અને કંપોઝર અમાલ મલિક ફરી એકવાર પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા તે સોશિયલ મીડિયા પર પોતાના પરિવારથી દૂર રહેવાની વાત કરીને ચર્ચામાં આવ્યો હતો, પરંતુ હવે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે મોટું નિવેદન આપીને હંગામો મચાવી દીધો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કાર્તિક આર્યનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે

એક ઇન્ટરવ્યુ દરમિયાન, અમાલે દાવો કર્યો હતો કે, "બોલિવૂડના કેટલાક મોટા નામ કાર્તિક આર્યનને નિશાન બનાવી રહ્યા છે, જેમ કે એક સમયે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને નિશાન બનાવવામાં આવ્યો હતો." અમાલ કહે છે કે, "ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા આ કાવતરા ખૂબ જ ગંભીર છે અને તેની માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે."

'સુશાંત ન સંભાળી શક્યો'

અમાલે ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, સુશાંતના મૃત્યુ પછી, લોકોએ બોલિવૂડનું વાસ્તવિક ચિત્ર જોયું. તેણે કહ્યું કે, જ્યાં સુધી સુશાંત જીવતો હતો ત્યાં સુધી કોઈને ખબર નહતી કે પડદા પાછળ કેટલો અંધકાર છે. તેણે કહ્યું, "સુશાંત જેવો વ્યક્તિ પણ તેને ન સંભાળી શક્યો. કેટલાકે તેને આત્મહત્યા ગણાવી, તો કેટલાકે તેને હત્યા ગણાવી. પરંતુ સત્ય એ છે કે તે ચાલ્યો ગયો છે અને ક્યાંક તો ઈન્ડસ્ટ્રીનું વલણ પણ આ માટે જવાબદાર હતું." અમાલે તે વાત પર પણ ભાર મૂક્યો કે સુશાંતના ગયા પછી, લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બીજી બાજુ જોવા લાગ્યા. તેણે કહ્યું કે, "તે ક્ષણ એક વળાંક હતી જ્યારે સામાન્ય લોકોનો ઈન્ડસ્ટ્રી પરનો વિશ્વાસ ડગમગવા લાગ્યો."

કાર્તિક આર્યન વિશે ચિંતા વ્યક્ત કરી

ઇન્ટરવ્યુ દરમિયાન, અમાલે એમ પણ કહ્યું કે કાર્તિક આર્યન પણ આવી જ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે કહ્યું કે કેટલાક મોટા નામો પણ કાર્તિક વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. જોકે, તેણે કહ્યું, "કાર્તિકે આ પરિસ્થિતિઓનો મજબૂત રીતે સામનો કર્યો છે. તેના પરિવારે તેને સપોર્ટ આપ્યો અને તેથી જ તે સ્મિત સાથે આ બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી શક્યો."

Related News

Icon