દિલ્હીના દ્વારકા સેક્ટર-૧૩માં આજે સવારે (મંગળવારે) એક ઇમારતમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો ઉતાવળમાં ઇમારત પરથી નીચે કૂદી પડ્યા હતા. ફ્લેટમાં આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા.

