બોટાદ જિલ્લાના ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરના સંત વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ અરજી ગઢડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ખીમજીભાઈ પ્રાગજીભાઈ વસાણી દ્વારા ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સંત વિરુદ્ધ જમીન પચાવી પાડ્યા હોવાની ફરિયાદી અરજી દાખલ કરવામાં આવી હતી.

