Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નાહલ ગામમાં રવિવારે (25મી મે) એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવા પહોંચેલી નોઈડા પોલીસ ટીમ પર થયેલા હુમલામાં કોન્સ્ટેબલ સૌરભ કુમારનું મોત થયું હતું. ત્યારથી પોલીસ હુમલો કરનારા તત્ત્વો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ફાયરિંગની ઘટના માટે સાવચેતીના પગલા તરીકે 42 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી વચ્ચે નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પલાયન કરી ચૂક્યા છે.

