અમદાવાદના રામોલ વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરે સમગ્ર ઘટનામાં ગુનેગારોને કાયદાની ભાષામાં પાઠ ભણાવવા જણાવ્યું હતું. સ્થાનિક પોલીસે આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. અલકેશ યાદવ નામના આરોપીને તેના નિવાસસ્થાને લાવીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ દરમિયાન આરોપી જાહેરમાં માફી માંગતો પણ જોવા મળ્યો હતો.

