ચરોતરનાં પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાયા બાદ વતનને કયારેય ભુલતા નથી અને વતનના ગામના વિકાસ માટે દાનની સરવાણીઓ વહેવડાવતા હોય છે. આણંદ જિલ્લાનાં બોરસદ પાસે આવેલા નિસરાયા ગામના અને અમેરિકામાં સ્થાઈ થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદાએ પોતાના વતન નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાનાં નિર્માણ બાદ તેનાં સંચાલન માટે 100 કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું છે.

