ગુજરાત રાજ્યના બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ મામલે ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મંત્રી બચુખાબડના બન્ને પુત્રોને કોર્ટે જામીન આપ્યા છે. બન્ને પુત્રોને દાહોદમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મંત્રીના બન્ને પુત્રો સામે 29મી મેના રોજા ફરિયાદ નોંધાઈ હતી. તો બીજી તરફ બળવંત ખાબડ અને કિરણ ખાબડ સવા મહિને જેલમાંથી બહાર આવ્યા હતા. બન્ને વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ જમા કરાવવાનું કોર્ટે જણાવ્યું હતું.

