ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સરકારે સ્ટેટ અને નેશનલ હાઇવે ના તમામ બ્રીજ નું નિરીક્ષણ હાથ ધર્યું છે, જોકે માત્ર સ્ટેટ અને નેશનલ હાઇવેજ નહિ પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જીવ પણ એટલાજ કિંમતી છે. ત્યારે ડાંગ જિલ્લાના ડુંગરડા નજીક અંબિકા નદી ઉપર બનાવવામાં આવેલ 100 વર્ષ જૂનો બ્રિજ પણ વહેલી તકે રીપેર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ બાબતે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડીઆરએમ પંકજ સિંઘે ગત 7 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની હેરિટેજ લાઇન બીલીમોરા-વઘાઈ નેરોગેજનું નિરીક્ષણ કર્યું હતું.

