જુનાગઢના કેશોદના બામણાસા ઘેડ ગામે વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરો પાસેથી કેશોદના એક વૃદ્ધે 5 લાખ રૂપિયા લીધા હતા. પાંચ લાખના વૃદ્ધે 34 લાખ આપ્યા, તેમ છતાં વધુ 25 લાખની માંગણી કરી હતી. આ માંગ વધતા નિરાધાર વૃદ્ધે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

