સુરતના રેલવે સ્ટેશન પર નવિનિકરણને લઈને મોટાભાગની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડી રહી છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પરથી કાળાબજારી થતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ઉધના રેલવે સ્ટેશન પરથી ઘણા દિવસથી રેલવે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ વેઈટિંગ ટિકિટ નંબર લખીને તેને કન્ફર્મ ગણાવી યાત્રીઓ સાથે ચીટિંગ કરવામાં આવી રહ્યું છે.

