સુરતમાં DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના ભરતી વિવાદે આખરે વાટાઘાટોના આધારે નવી દિશા લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા વિરોધને લઈ આજે DGVCLના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેના પરિણામે વિરોધ હટાવવામાં આવ્યો છે. DGVCL દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી છે કે શનિવારથી ૩૫ પાત્ર ઉમેદવારોને નિયમિત ઓર્ડર અપાશે. સાથે જ આગામી સમયમાં કુલ ૧૦૦ લોકોની નવી નિમણૂક કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

