
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હયાત 2905 મીટરનો રનવે વિસ્તારવાની સંભાવનાઓ ચકાસવા અગાઉ કરેલી માંગણીને પગલે ઓએનજીસી એ ફરી ગેસ પાઇપલાઇનના સ્થળાંતરનો અભ્યાસ કરવા માટે સરવે શરૂ કર્યો છે. RTI જવાબમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ONGC એ હજીરા સુધી પહોંચવા માટે સમુદ્ર અને તાપી નદી દ્વારા તેની વિશાલ ગેસ પાઇપલાઇન્સને ફરીથી રૂટ કરવા માટે શક્યતા અભ્યાસ માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડને રોકવામાં આવી છે. અગાઉ ઓએનજીસી 2020 અને 2022 માં પણ સરવે કરી ચૂકી છે.
905 મીટર વિતરણ
એરપોર્ટના રનવે નજીકની ઓએનજીસીની પાઈપલાઈન કલ્વર્ટ કરવામાં આવે તો પાઈપલાઈન પર કેટલું વાઈબ્રેશન આવી શકે એને લગતો સરવે પણ થઇ ચૂક્યો છે. પણ કંપનીએ એક પણ સરવે રિપોર્ટ જાહેર કર્યો નથી. કહે છે કે, એરપોર્ટ ઓથોરિટીને પણ આપ્યો નથી. ડુમસ તરફના પ્રસ્તાવિત 905 મીટર વિસ્તરણમાં મદદ કરવા માટે બીજો સરવે શરૂ કર્યા પછી સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રનવેના વિસ્તરણની આશા ફરી જાગી છે.
પાઈપલાઈન ફેરવવામાં આવી શકે
અગાઉ સુડાના માસ્ટર પ્લાનમાં સૂચિત રનવે 3810 મીટર દર્શાવવામાં આવ્યો હતો. જો રનવેની ડુમસ બાજુ તરફની 36 ઇંચ વ્યાસની પાઇપલાઇન ખસેડવામાં આવે છે તો, એરપોર્ટ પર 905 મીટર વિસ્તરણ થવાની સંભાવના છે. આનો અર્થ એ થયો કે રનવેની લંબાઈ હાલના 2,905 મીટરથી વધીને 3,810 મીટર થઇ શકે. જે પાઇપલાઇનોને સમુદ્ર અને નદીમાં ફરીથી ફેરવવામાં આવી શકે, જે હાલ એરપોર્ટ પરિસરમાંથી પસાર થાય છે. સોર ગેસ પાઇપલાઇન હાલમાં રનવેના છેડાથી ડુમસ બાજુ તરફ માત્ર 250 મીટર દૂર છે.