આસામના મંત્રી પિયુષ હજારિકાએ સોમવારે આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હતો. તેમણે પાર્ટી પર રાજ્યમાં "લોકશાહીને નુકસાન" પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો. મંત્રી પિયુષ હજારિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે પોસ્ટ કરી છે.

