વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યાના 6 માસમાં જ અટલ સેતુ બ્રિજ પર તિરાડો પડી હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. એટલું જવ નહીં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે અટલ સેતુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે અટલ સેતુ પેકેજ 4ના પ્રોજેક્ટ હેડ કૈલાશ ગણાત્રાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાથે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ તિરાડો બ્રિજ પર નહીં પરંતુ ઉલ્વેથી મુંબઈ તરફના MTHLને જોડતા એપ્રોચ રોડ પર પડી છે.
કોંગ્રેસ નેતાએ અટલ સેતુનું કર્યું નિરીક્ષણ

