દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે વધુ રાહ જોવી પડશે. CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લેતા 5 સપ્ટેમ્બરે કેસની સુનાવણી માટેની તારીખ નક્કી કરી છે.

