સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પંજાબ અને હરિયાણા સરકાર પાસેથી 2.5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. હરિયાણા સરકારે આ રકમને મંજૂરી આપી દીધી છે, પરંતુ પંજાબ સરકારે હજુ સુધી તેના પર અંતિમ નિર્ણય લીધો નથી. આ સમિતિને શંભુ અને ખનૌરી સરહદો પર ખેડૂતોના આંદોલન અને કૃષિ સંકટનો ઉકેલ શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે.

