ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ત્રણેય સેનાઓએ રવિવારે સાંજે ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ડીજીએમઓ રાજીવ ઘાઈએ ઘણી વાતો કહી. ઘાઈએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય આતંકવાદનો અંત લાવવાનો હતો. અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. બહાવલપુર અને મુદિરકે અમારા લક્ષ્ય હતા. સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.

