Union Cabinet Meeting Decision: આજે(28 મે) કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ રૂ. 2,07,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતોને પોષણક્ષમ દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

