Home / Lifestyle / Health : Consuming fruits at night can increase these problems

Health Tips / તમે પણ રાત્રે ફળ ખાઓ છો? તો તેનાથી વધી શકે છે આ 6 સમસ્યાઓ

Health Tips / તમે પણ રાત્રે ફળ ખાઓ છો? તો તેનાથી વધી શકે છે આ 6 સમસ્યાઓ

ફળો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે, રાત્રે તેમને ખાવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. જો તમે રાત્રે ફળો ખાઓ છો, તો મેટાબોલીઝમ ધીમું પડી શકે છે. રાત્રે ફળોનું પાચન થવામાં સમસ્યા થઈ શકે છે. બીજી તરફ, વધુ ખાંડવાળા ફળો બ્લડ સુગર લેવલ વધારી શકે છે. તેમજ એસિડિક ફળો એસિડિટી અને એસિડ રિફ્લક્સનું કારણ બને છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાત્રે ફળો ખાવાથી વજન વધવા, ઊંઘની ગુણવત્તા ખરાબ થવા અને દાંતમાં સડો થવાની સમસ્યાઓ પણ વધી શકે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટી-ઓકિસડન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, તમારે તેમને ખાતા પહેલા સમય ધ્યાનમાં રાખવો જોઈએ. ચાલો જાણીએ કે રાત્રે ફળો ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.

પાચન સમસ્યાઓ

શરીરનું મેટાબોલીઝમ દર રાત્રે ધીમું પડી જાય છે. આ પાચનની પ્રક્રિયાને ધીમી પાડે છે. આવી સ્થિતિમાં, સફરજન, નાસપતી અથવા કેળા જેવા ભારે અને ફાઈબરયુક્ત ફળો રાત્રે ટાળવા જોઈએ. આનાથી અપચો, ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોનું પાચનતંત્ર નબળું હોય છે તેઓએ રાત્રે ફળો ખાવાનું ટાળવું જોઈએ.

બ્લડ સુગર લેવલ વધે છે

ફળોમાં કુદરતી ખાંડ હોવાથી, તે આપણને દિવસભર ઉર્જાવાન રાખે છે. રાત્રે ફળો ખાવાથી શરીરને ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો સમય નથી મળતો, જેના કારણે બ્લડ સુગર અચાનક વધી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને રાત્રે વધુ મીઠા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

એસિડિટી અને રિફ્લક્સનું જોખમ

નારંગી, અનાનસ અને દ્રાક્ષ એસિડિક હોય છે. રાત્રે તેમને ખાવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધી શકે છે, જે એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નનું કારણ બની શકે છે. જો તમે પહેલાથી જ એસિડિટીથી પીડાતા હોવ, તો રાત્રે ખાટા ફળો બિલકુલ ન ખાવા જોઈએ.

વજન વધવાનું જોખમ

રાત્રે શરીરનો ઉર્જા વપરાશ ઓછો થાય છે, જેના કારણે ચરબીના રૂપમાં વધારાની કેલરી એકઠી થવા લાગે છે. ખાસ કરીને રાત્રે કેળા, કેરી અને ચીકુ જેવા હાઈ કેલરીવાળા ફળો ખાવાથી વજન વધી શકે છે. જો તમે તમારું વજન નિયંત્રણમાં રાખવા માંગતા હોવ, તો રાત્રે ફળો ખાવાનું ટાળો.

ઊંઘની સમસ્યાઓ

રાત્રે ફાઈબર અથવા ખાંડથી ભરપૂર ફળો ખાવાથી ઊંઘ પર અસર પડી શકે છે. મીઠા ફળો બ્લડ સુગર વધારે છે, જે મગજને વધુ સક્રિય બનાવે છે અને ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરે છે. જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી, તો સૂતા પહેલા ફળો ખાવાનું ટાળો.

દાંતની સમસ્યાઓ

ફળોમાં કુદરતી ખાંડ હોય છે, જે દાંત પર ચોંટી શકે છે અને બેક્ટેરિયાને વધારે છે. જો રાત્રે ફળો ખાધા પછી યોગ્ય રીતે બ્રશ ન કરવામાં આવે તો તે કેવિટી અને પેઢાની સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને સાઈટ્રસ ફળોમાં હાજર એસિડ દાંતના ઈનેમલને નુકસાન પહોંચાડી શકે છે.

Related News

Icon