લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે લગભગ જીતેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમની સ્ટ્રેટેજી પર ઘણા સવાલો ઊભા થયા હતા. શું મેચ વિજેતા કુલદીપ યાદવને ફક્ત પાણી આપવા માટે ઈંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો? એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ મેચ વિજેતાને એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે મોકલવામાં આવશે. પરંતુ ટોસ દરમિયાન જાણવા મળ્યું કે તે સતત બીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે.

