શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર રમત બતાવી રહી છે. જોકે, અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં ટીમ ઈન્ડિયા 2 મેચ હારી છે અને 1 મેચ જીતી છે. 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ આ મેચ 22 રનથી જીત્યું હતું. મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે પ્રેઝન્ટેશનમાં હારનું સાચું કારણ જણાવ્યું છે.

