મીરા ભાયંદરમાં જોધપુર સ્વીટ્સના વેપારી સાથે મરાઠી ભાષાને લઈને થયેલી બબાલના વિરોધમાં સમગ્ર મારવાડી સમુદાય ( 36 કોમ) અને વેપારી સંગઠનોએ 3 જુલાઈએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. સવારે 11થી 5 વાગ્યા સુધી બંધ લાગુ કરાયો છે. તમામ વેપારીઓને અપીલ કરાઈ કે તેઓ દુકાન બંધ રાખી આ શાંતિપૂર્ણ વિરોધમાં સામેલ થાય. મીરા રોડની દુકાનો પર તાળા લટકેલા છે. વેપારીઓ રસ્તા પર છે. કેટલાક લોકોએ વિરોધ દર્શાવતા નારેબાજી પણ કરી હતી. વેપારીઓએ કહ્યું કે આ મામલે સખ્તાઈથી એક્શન લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનને આગળ વધારશે.
મુંબઈના મારવાડી સંગઠનોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આજે આ નિંદનીય ઘટના પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ ઉદ્યોગપતિ સાથે આવું થઈ શકે છે.

