IPL 2025માં, આજે (21 મે) સાંજે 7:30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચ રમાશે. જો MI આ મેચ જીતી જશે તો તે પ્લેઓફમાં પ્રવેશ કરશે અને DC બહાર થઈ જશે. બીજી તરફ DC જીત સાથે પ્લેઓફ તરફ એક મજબૂત પગલું ભરવા માંગે છે, પરંતુ મેચ પર વરસાદનું વિઘ્ન પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, જો વરસાદને કારણે મેચ રદ્દ થાય છે, તો DC પ્લેઓફની દોડમાંથી બહાર થઈ જશે, જેને ધ્યાનમાં રાખીને DC આ મેચ રદ્દ થાય તેવું બિલકુલ નહીં ઈચ્છે. આ અંગે DCના કો-ઓનર પાર્થ જિંદાલે હવે BCCIને પત્ર લખ્યો છે.

