‘તબાહીનું દ્રશ્ય દુઃખદ છે, મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં’; અમદાવાદ વિમાન દુર્ઘટના પર પીએમ મોદીની પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાત લીધી અને વિમાન દુર્ઘટનાનો તાગ મેળવ્યો. આ પછી, પીએમ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. પ્રધાનમંત્રીએ આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

