જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓમાં સુરતના યુવકનું અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મૃત્યુ થયું હતું. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇઍલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા બે દંપતિ શ્રીનગરમાં અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં શ્રીનગરમાં પરિવાર સાથે ફસાયેલી રુચિએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, 'અમે ડરી ગયા છીએ, ઘરે કેવી રીતે જઈશું?'

