ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભાગ લેવા માટે 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેતાં ભારતીય ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા ભારતીય ટીમ નવી સ્કવોડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2025-2027ની સાયકલમાં પ્રવેશ કરી શકે છે.

