Home / Entertainment : Shefali Jariwala's ex-husband expresses grief over her death

શેફાલી જરીવાલાના મૃત્યુ પર પૂર્વ પતિએ કર્યું દુઃખ વ્યક્ત, જાણો કેમ અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યો?

શેફાલી જરીવાલાના મૃત્યુ પર પૂર્વ પતિએ કર્યું દુઃખ વ્યક્ત, જાણો કેમ અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યો?

શેફાલી જરીવાલાના પૂર્વ પતિ હરમીત સિંહે શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે શેફાલી ખૂબ જલ્દી ચાલી ગઈ. આ સાથે હરમીતે એ પણ જણાવ્યું કે કેમ તે ઈચ્છા હોવા છતાં શેફાલીના અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શક્યો .

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હરમીતે જૂની યાદો શેર કરી

હરમીત સિંહ પોતાની પોસ્ટમાં લખે છે કે, 'શેફાલીના મૃત્યુના સમાચાર મારા માટે આઘાતજનક હતા. આ સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું. અમે ઘણા સુંદર વર્ષો સાથે વિતાવ્યા હતા, તેમની યાદો હજુ પણ મારા હૃદયમાં છે. શેફાલીના માતાપિતા, તેની બહેન અને શેફાલીના પતિ પરાગ પ્રત્યે મારી સંવેદના છે.'

અંતિમ સંસ્કારમાં ન આવવાનું કારણ

હરમીતે પોસ્ટમાં આગળ લખ્યું છે, 'હું હાલમાં યુરોપમાં છું. મારા માટે એ દુઃખદ છે કે હું શેફાલીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન શક્યો. તે ખૂબ જ જલ્દી ચાલી ગઈ. ભગવાન તેના આત્માને શાંતિ આપે. ભગવાન પરિવારને આ મુશ્કેલ સમય સામે લડવાની શક્તિ આપે. જય શ્રી કૃષ્ણ.'

હરમીત અને શેફાલીનો સંબંધ

તમને જણાવી દઈએ કે શેફાલી જરીવાલાએ વર્ષ 2002માં 'કાંટા લગા' મ્યુઝિક વિડિયોથી ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. તે સ્ટાર બની ગઈ હતી. આ સમય દરમિયાન શેફાલી મીત બ્રધર્સના મ્યૂઝિક ડાયરેક્ટર હરમીત સિંહને મળી અને બંનેએ 2004માં લગ્ન કર્યા. પરંતુ વર્ષ 2009માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી પરાગ ત્યાગી શેફાલીના જીવનમાં આવ્યો. બંને પ્રેમમાં પડ્યા, બંનેએ વર્ષ 2014માં લગ્ન કર્યા. આ કપલ ચાહકોમાં એક આદર્શ કપલ તરીકે જાણીતું હતું.

 

Related News

Icon