શેફાલી જરીવાલાના પૂર્વ પતિ હરમીત સિંહે શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે શેફાલી ખૂબ જલ્દી ચાલી ગઈ. આ સાથે હરમીતે એ પણ જણાવ્યું કે કેમ તે ઈચ્છા હોવા છતાં શેફાલીના અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શક્યો .

