સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ડમ્પર પલટી ખાઈ જતાં 3 લોકોના મોત થયા હતા. જેને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું ડેમમાં પલટી ખાધેરલ ડમ્પર ગેરકાયદેસર રેતી ભરીને લઈ જતું હતું. ભૂ માફિયાઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમમાં હોડકા મૂકી રેતી ચોરી કરવામાં આવતી હતી.

