Tahawwur Rana Extradition:મુંબઇમાં 2008માં થયેલા આતંકી હુમલાનું ષડયંત્ર રચનારા Tahawwur Ranaને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. ભારત છેલ્લા 17 વર્ષથી Tahawwur Rana અને તેના સાથી ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યર્પણના પ્રયાસમાં લાગેલુ હતું જેની 2009માં જ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેના પર કેસ આતંકવાદ ફેલાવવા સાથે જોડાયેલા કેટલાક કેસમાં ચાલ્યો હતો. હેડલીના કેસમાં ભારતને ખાસ સફળતા મળી નથી પરંતુ Tahawwur Rana મામલે અમેરિકાની નીચલી કોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના દાવાને માનતા તેના પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી હતી.આવો જાણીયે Tahawwur Ranaના મુંબઇ હુમલાને અંજામ આપવાથી લઇને ભારત પ્રત્યર્પણ સુધીની પુરી કહાની...

