Anand news: આણંદ જિલ્લામાં આવેલા તારાપુરના ગોરાડ ગામે આજથી 30 દિવસ અગાઉ જમાઈએ દાદી સાસુની કરપીણ હત્યા કરવાના કેસમાં પોલીસને આખરે સફળતા મળી છે. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે હત્યારા જમાઈ અને પૌત્રીને ચંદીગઢના ડેરાબસીથી ઝડપી લીધા હતા. પોલીસની સઘન તપાસમાં દાદીની હત્યામાં જમાઈની સાથે પૌત્રીની પણ સંડોવણી ખુલતા પોલીસ એક્શનમાં આવી હતી. આખરે બંને આરોપી ઝડપાઈ જતા પોલીસે વધુ તપાસ માટે બંને આરોપીને રિમાન્ડ માટે કોર્ટમા રજૂ કર્યા હતા.

