Pahalgam terror attack : પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ત્યારે ત્યાંનું સમગ્ર વાતાવરણ શોકમગ્ન હતું. મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી.

