વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ યુએન જનરલ એસેમ્બલીમાં 'સમિટ ફોર ધ ફ્યુચર' દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લેમ સાથે પણ મુલાકાત કરી હતી.

