12 જૂને (ગુરૂવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન)ના રોજ 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે. વિમાન દુર્ઘટનામાં ડેડબોડી એટલી હદે બળી ગઈ છે કે તેની ઓળખ થવી જ મુશ્કેલ છે. ડેડબોડીની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવે છે.

