દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ચીન ભડક્યું હોવાનું સામે આવ્યું છે. ચીને ભારતથી તિબ્બત સાથે જોડાયેલા મુદ્દા પર સાવધાનીથી કામ કરવા કહ્યું છે. આમ કરવાથી બંને પક્ષે સુધારો થાય છે. ચીને શુક્રવારે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુની એ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો કે, દલાઈ લામાએ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલવું જોઈએ.

