મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર તેજ થઈ ગઈ છે અને આ દરમિયાન NDAના ધારાસભ્યોએ રાજ્યભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામા બાદથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

